મીઠા લાગતા તરબૂચને ખરીદતા પહેલા આ વાંચી લેજો, એક ઘટના એવી બની જે તમને પણ વિચારવા મજબુર કરી દેશે

ગરમીની સીઝન શરૂ થતા જ તાજા-તાજા ફળોની પણ સીઝન શરૂ થાય છે. ઉનાળામાં મોટાભાગે લોકો તરબૂચ ખાવાનું પસંદ કરે છે. તરબુચમાં મોટી માત્રામાં પાણી રહેલું હોય છે જે શરીરને ઠંડક આપે છે. મોટાભાગે તરબૂચ ખાતી વખતે તેના બીજ ફેંકી દેવામાં આવે છે પણ  તમને જણાવી દઈએ કે તરબૂચના બીજના પણ અનેક ફાયદાઓ છે, જે સ્વાસ્થ્યને ખુબ અસર કરે છે. આવો તો જાણીએ.(અહીં લીધેલી તમામ તસવીરો પ્રતીકાત્મક છે).

1. હાડકા કરે છે મજબૂત:
તરબૂચના બીજમાં કોપર, મેન્ગેનીઝ અને પોટેશિયમ મળી આવે છે જે હાડકાને મજબૂત બનાવવા માટે મદદરૂપ છે. બીજને સૂકવીને ખાવાથી ઓસ્ટિયોપોરોસીસનો ખતરો દૂર કરી શકાય છે.

2. કંટ્રોલ કરે છે ડાયાબિટીસ:
તરબૂચના આ નાના એવા મામૂલી બીજ બ્લડ શુગર ઘટાડવાનું કામ કરે છે. તેમાં મળી આવતા તત્વો ડાયાબિટીસના દર્દીને ખુબ ફાયદો આપે છે.

3. ચમકદાર ત્વચા:
તરબૂચના બીજ મસા અને વધતી વધતી ઉંમરની કરચલીઓને દૂર કરે છે. બીજને સૂકવીને અને સાંતળીને ખાવાથી સ્કિનની અંદર અનોખી ચમક આવે છે અને ત્વચા હેલ્દી બને છે. આ સિવાય બીજમાં મળી આવતું ન્યુટ્રીએન્ટ્સ વાળ માટે ખુબ ફાયદેમંદ છે, જેનાથી વાળ ખરવાની સમસ્યા પણ દૂર થઇ જાય છે.

4. વધતી ઉંમરની બીમારીઓને કરે છે દૂર:
તરબૂચમાં મળી આવતું મેગ્નેશિયમ વધતી ઉંમરની સાથે આવતી બીમારીઓ જેવી કે હાડકા કમજોર થવા, યાદ શક્તિ ઘટવી વગેરેને અટકાવે છે. બુઢાપાના સમયે શરીરને સ્વસ્થ રાખવામાં બીજ ખુબ મદદગાર છે.

ઉનાળાની ઋતુનો પ્રારંભ થઇ ગયો છે અને અત્યારથી જ તાપમાન હાયતોબા મચાવી દે એટલું ગરમ થઇ ગયું છે. એટલે જ આ ગરમીથી બચવા માટે લોકોએ હવે ફળોનું સેવનની માત્રા પણ વધારી દીધી હશે અને એટલે જ બજારોમાં ફળો પણ વધુ વેચાવા લાગ્યા છે. ત્યારે ઉનાળામાં લોકો તરબૂચ પણ વધુ ખાવાનું શરુ કરી દીધુ છે. કારણ કે ગરમી સામે લડવા માટે આ ફળ ખૂબ જ યોગ્ય માનવામાં આવે છે.

પરંતુ હાલમાં જ એક એવો કિસ્સો બન્યો છે કે જે જાણીને તમે તરબૂચ ખરીદતા પહેલા બે વાર વિચારશો. વાત એમ છે કે એક મહિલાએ તેને ખરીદેલા તરબૂચમાંથી ઈન્જેક્શનની સોય નીકળવાની ફરિયાદ નોંધાવી છે. આ વાત આપણે જાણીએ જ છીએ કે હાલ દરેક ફળોને પકવવા માટે અને તેને તાજા રાખવા માટે કેમિકલ્સનો પ્રયોગ કરવામાં આવે છે.

સામાન્ય રીતે તરબૂચ વજન ઘટાડવાથી લઈને કિડની માટે સારું સાબિત થાય છે, પરંતુ આ કિસ્સામાં આ તરબૂચ જાનલેવા સાબિત થઇ શકે છે. કેમિકલ્સથી પકવવામાં આવેલા ફળો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોય છે. આ કેમિકલ્સને કારણે ઘણી બીમારીઓ થઇ શકે છે. જણાવી દઈએ કે ફળોને જલ્દી પકવવા માટે એથલીન ગેસ અને કરબાઈડનો ઉપયોગ કરવામાં આવે છે. જે મનુષ્યના સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોય છે.

તો હવે જયારે પણ તમે બજારમાં જાઓ અને ફળો ખરીદો તો અમુક બાબતો ધ્યાનમાં રાખો:

જો કોઈ વેપારી તમને કોઈપણ ફળ સસ્તામાં આપતા હોય તો સમજી જાઓ કે આ ફળમાં કોઈ ગરબડ છે. કારણ કે ઓર્ગેનિક ફળો ખૂબ જ મોંઘા આવે છે.

હંમેશા ઓર્ગેનિક ફળો જ ખરીદવા કે જે કુદરતી રીતે જ પકવવામાં આવે છે. આ ફળો સ્વાસ્થ્યને નુકશાન નહિ પહોંચાડે.

ધ્યાન રાખો કે જયારે તમે ફળો ખરીદો છો ત્યારે જો આ ફળો પર કેમિકલ્સનો છંટકાવ કરવામાં આવ્યો હશે તો આ ફળોની છાલ પર તમને તેના ડાઘા ધ્યાનથી જોવા પર દેખાશે. આવા ફળો ન ખરીદવા.

કેમિકલ્સનો છંટકાવ કરવામાં આવેલા ફળોને ઘરે આવીને ખૂબ જ સારી રીતે સાફ કરીને, પાણીથી વ્યવસ્થિત ધોઈને  છાલ ઉતારીને જ ખાવા જોઈએ.

Team Akhand Ayurved

Not allowed