પુત્રએ માતાની હત્યા કર્યા બાદ પોતે પણ કર્યો આપઘાત, વીડિયો બનાવી કહ્યુ- મા જીવીને શું કરશે….જુઓ વીડિયો

ગુજરાતમાંથી આપઘાતના અનેક કિસ્સા સામે આવે છે, આવા કિસ્સામાં ઘણીવાર પ્રેમ સંબંધ, ઘણીવાર આર્થિક તંગી કે પછી પારિવારિક ઝઘડા કારણ હોય છે. કેટલીકવાર તો આપઘાતના કિસ્સામાં માનસિક ત્રાસ કે બીમારી પણ કારણ હોય છે. રાજકોટમાંથી હાલમાં એક આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક પુત્રએ તેની જ માતાની હત્યા કરી અને પછી તેણે પોતે આત્મહત્યા કરી લીધી. પુત્રએ માતાની હત્યા કેમ કરી અને તે પહેલા વીડિયો કેમ બનાવ્યો અને આપઘાતનું કારણ શું હતુ તે અંગે પોલિસે વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટના કોઠારીયા વિસ્તારમાં આવેલ ઘનશ્યામ નગરમાં રહેતા સિકંદરે પોતાની 80 વર્ષની બીમાર માતાને ઝેરી દવા આપી અને પછી પોતે પણ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો. ઘટનાને પગલે બંનેને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા હતા પણ ટૂંકી સારવાર બાદ તેમનું મોત થયુ હતુ. મૃતક યુવાને વીડિયો બનાવી પરિવારજનોની માફી માંગી હતી અને એમ પણ કહ્યુ હતુ કે, દવા માને પાઈને હું પણ પીઉં છું મને માફ કરી દેજો. વીડિયોમાં સિંકંદરે જણાવ્યુ કે, રેશ્મા, હું તારો ભાઈ, હું જાવ છું બેન, મને માફ કરજે અને હું બાને પણ સાથે લેતો જાઉં છું. અમે મા-દીકરો હવે જીવી શકી એમ નથી.

બધાંય મારા ભાઈ અને ભત્રીજીઓ હું કોઈની માટે કાંઈ કરી શક્યો નથી. મારી માને મૂકીને હું એકલો જઈ શકું એમ નથી, એનું કોણ ધ્યાન રાખશે?’ તે વીડિયોમાં એમ પણ કહે છે કે, એ પણ જીવીને શું કરશે હવે? એના વગર હું અને મારા વિના એ જીવી શકીએ એમ નથી. હું ઝેરી દવા લઇ આવ્યો છું એમને પાઈને હું પણ પી જાઉં છું. ભાભી મને માફ કરજો તમારો દિયર તમારા માટે કાંઈ કરી શક્યો નથી. મારી ભત્રીજીઓ ભાણિયા-ભાણકીઓ અને મારી મા-બહેન માટે કાંઈ કરી શક્યો નથી. હવે દવા માજીને પાઈને હું પણ પીઉં છું મને માફ કરી દેજો.’

ayurved

Not allowed