
ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લાની ફેશન ડિઝાઈનર મુસ્કાન નારંગે સિવિલ લાઈન્સ સ્થિત નવીન નગર કોલોનીમાં પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. શુક્રવારે સવારે તેનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યો હતો. જાણકારી મળતા જ પોલીસ અને ફોરેન્સિક ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પરિવારજનોએ પોલીસને જણાવ્યું કે, ફેશન ડિઝાઈનિંગનો કોર્સ કર્યા બાદ મુસ્કાન નારંગને મુંબઈની એક કંપનીમાં નોકરી મળી હતી.
હોળી પહેલા તેણે નોકરી ગુમાવી દીધી હતી અને આ પછી મુસ્કાન ઘરે આવી ગઇ હતી અને ત્યારથી તે પરેશાન ચાલી રહી હતી. પરિવારના સભ્યો પણ તેને ખૂબ સમજાવતા હતા પરંતુ તે કોઈની વાત સાંભળવા તૈયાર ન હતી. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં પણ ફાંસીથી મોતની પુષ્ટિ કરવામાં આવી છે. ત્રણ દીકરીઓ અને એક પુત્રમાં સૌથી મોટી મુસ્કાન મુંબઈની એક કંપનીમાં ફેશન ડિઝાઈનર હતી. મુસ્કાન હોળીના દિવસે ઘરે આવી હતી અને આ પછી તે મુંબઈ પાછી ગઇ નહોતી.
ગુરુવારે રાત્રે તેણે પરિવાર સાથે ડિનર લીધું અને આ પછી તે તેના બેડરૂમમાં ચાલી ગઇ. જો કે, બીજા દિવસે તે જાગી નહિ તો પરિવાર તેના રૂમમાં ગયો. જે બાદ મુસ્કાનની લાશ જોઇ હોબાળો મચી ગયો. થોડી જ વારમાં આસપાસના લોકો પણ સ્થળ પર પહોંચી ગયા. આ પછી પોલીસને પણ જાણ કરવામાં આવી. પરિવારના સભ્યોએ જણાવ્યું કે, રોજની જેમ મુસ્કાને 10.30 વાગ્યે ભોજન લીધું અને રાત્રે લગભગ એક વાગ્યા સુધી તે જાગતી રહી.
આ પછી પરિવારના સભ્યો પણ સૂવા ગયા. આ દરમિયાન તે ટેરેસ પર ગઇ અને પછી પરિવાર સૂઇ ગયો ત્યારે તેણે આવું પગલુ ભર્યુ હોઇ શકે. શુક્રવારે સવારે જ્યારે પરિવાર જાગ્યો ત્યારે મુસ્કાન નહોતી અને આ પછી જ્યારે માતા અને બહેનો મુસ્કાનને જોવા ગયા ત્યારે મુસ્કાનની લાશ લટકતી હાલતમાં મળી આવી. જણાવી દઇએ કે, મુસ્કાન સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી હતી. તેણે ઈન્સ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કરીને આત્મહત્યાનો સંકેત પણ આપ્યો હતો.
View this post on Instagram