શું તમે તમારા વાળને સફેદ થતા અટકાવવા માંગો છો ? તો ઘરમાં રહેલી આ નાનકડી વસ્તુને પાણીમાં પલાળીને ખાઈ લો, પછી જુઓ ફાયદા

પલાળેલી મેથીમાં છે પ્રાકૃતિક ગુણધર્મો, ખાવાથી નથી થતાં વાળ સફેદ- 7 જાદુઈ ફાયદાઓ વાંચો

આપણે બધા જ ભોજન બનાવવા માટે મેથીનો ઉપયોગ પણ કરીએ છીએ. મેથી મોટાભાગે દરેકના ઘરમાં હોય જ છે. આપણે દાળમાં મેથીના દાણા નાખીએ છીએ, આપણે શિયાળામાં મેથીના લાડવા ખાઈએ છીએ, એટલે આપણે સૌ આ વાત તો જાણીએ જ છીએ કે મેથી આપણા સ્વાસ્થ્ય માટે એક ઔષધિ જેવું કામ કરે છે. આપણા આયુર્વેદમાં પ્રાચીન સમયથી જ મેથીનો ઉપયોગ ઔષધ તરીકે કરવામાં આવે છે. આપણે નાના હતા ત્યારે પણ જો ક્યારેક પેટમાં દુઃખતું તો મમ્મી મેથીના દાણા જ ફાકી જવાનું કહેતા ને! આપણામાંથી ઘણા લોકો એવા હશે કે જે રાતે મેથીના દાણા પલાળશે અને સવારે આ દાણા ખાઈ જશે પણ આમ કરવાનો કેટલો બધો ફાયદો થાય છે એ ઘણા ઓછા લોકો જાણતા હશે.

રાત્રે મેથીના દાણા પલાળયા પછી, સવારમાં ખાલી પેટ ચાવી ચાવીને ખાવાથી અને વધેલું પાણી પીવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર થાય છે. મેથીમાં જોવા મળતા ઘણા પ્રકારના ગુણધર્મો અને કેરોટીન, કોપર, જસત, સોડિયમ, ફોલિક એસિડ અને મેગ્નેશિયમ વગેરે જેવા પોષક તત્વો રહેલા છે.

મેથી વજન ઘટાડવાથી લઈને રક્ત શુદ્ધિકરણ ઉપરાંત અનેક રોગોની સારવાર કરે છે. તેથી આજે મેથીના ફાયદા વિશે જાણીશું –

  • સંધિવા માટે – મેથી પણ એક સાથે અનેક રોગોની સારવાર કરે છે. હા, લોકો જે હાડકાના દર્દ સાથે સંકળાયેલા છે. તેમને પણ મેથી એટલી જ ગુણકારી છે. સંધિવા અને પીડા, ખાસ કરીને સાઇટ્રિક. જો તમે આદુનું ચૂર્ણ એટ્લે કે સૂંઠ પાઉડર અને મેથીના પાવડરને એક ગ્રામ જેટલો મિક્સ કરી રોજ ગરમ પાણી સાથે દિવસમાં બે વાર સેવન કરો તો તમને આવી સમસ્યાઓથી છુટકારો જલ્દી મેળવશો.
  • બ્લડ પ્રેશર માટે – જે લોકો બ્લડ પ્રેશરથી પરેશાન છે, એ લોકો માટે મેથી ખૂબ ફાયદાકારક છે. જો તેઓ રાતના સૂતા પહેલા મેથીને પાણીમાં પલાળી દે અને બીજા દિવસે સવાર અને સાંજે બંને સમય જો 5 ગ્રામ મેથીનું પાણી પીવે છે, તો તે તેમના શરીરમાં યોગ્ય રીતે રક્ત સંચાર થશે અને બ્લડ પ્રેશરમાં પણ તેમને રાહત મળશે.
  • વજન ઘટાડે છે – ખૂબ ઝડપી વજન ઘટાડવું હોય તો મેથી કામ કરે છે. જો તમે મેથી રાત્રી મેથીના દાણા પાણીમાં પલાળો છો અને અને સવારે ગરમ પાણીમાં તેનું સેવન કરો છો, તો તે વજન તે ઝડપથી ઘટાડે છે અને તમને કોઈ પ્રકારની બીમારી નહીં પણ નહી થવા દે અને તમને અનેક રોગોથી મુક્ત રાખે છે.

  • શુક્રાણુઓની ગણતરીમાં વધારો કરે – મેથીના પલાળેલા દાણા નિયમિત ખાવાથી, આ પુરુષોની વંધ્યત્વ જેવી સમસ્યાઓ સમાપ્ત થાય છે. તે સારી કામગીરી અને ગુણવત્તા પણ આપે છે.
  • ત્વચા અને વાળ માટે છે બેસ્ટ – જો તમને ખીલની સમસ્યા થતી હોય અને તમે ખરતા વાળની સમસ્યાથી પીડાતા હોવ, તો વાળમાં મેથીના દાણા પાણીમાં પલાળવા અને તેની પેસ્ટ બનાવી વાળમાં લગાવવાથી વાળ મજબૂત બનશે અને જલ્દી સફેદ નહીં થાય. અને ખાલી પેટ મેથીના દાણા ખાવાથી, ચહેરા પરના બધા જ ખીલ મટી જાય છે.
  • ગેસ્ટિક સમસ્યાથી દૂર રાખે – મેથીના દાણા શરીરમાંથી ઝેરી કચરો બહાર કાઢે છે અને કિડનીને તંદુરસ્ત રાખે છે. આ ઉપરાંત, તે ગેસ અને એસિડિટી જેવી ગેસ્ટિક સમસ્યાઓથી પણ દૂર રાખે છે.
  • શુગરને રાખે છે કંટ્રોલમાં – મેથીના ગ્રાન્યુલોમાં સોલિડ રેસા રહેલા હોવાથી તે શુગરને કંટ્રોલ કરી ડાયાબિટીસને નિયંત્રિત કરે છે.

હરસ માટે – હરસ એક ગંભીર રોગ છે, જેના દ્વારા દર્દીને ઘણી મુશ્કેલી થાય છે. આ રોગ દૂર કરવામાં. તમારે રાતે સૂતા પહેલા મેથીને પલાળીને સૂઈ જવું અને સવારે તેનો રસ પીવો. આ તમને હરસમાં લાભ આપશે. ફક્ત આ જ નહીં, તમે મેથીના બીજ વાટીને હરસ પર પણ લગાવી શકો છો. આમ કરવાથી પણ તમને પીડામાં ઘણો ફેર પડશે.

Team Akhand Ayurved

Not allowed