કલાકારોને સેટ પર માનસિક રીતે ખૂબ ટોર્ચર કરવામાં આવે છે. પણ તેઓ કામ કરતા હોવાથી કોઈ બોલશે નહીં. રોશન ભાભીએ કર્યો નવો ધડાકો

ટીવીનો પ્રખ્યાત કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 15 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. દરેક ઉંમરના લોકો આ શો જોવાનું પસંદ કરે છે.ત્યા શોના કલાકારો પણ દર્શકો સાથે એક ખાસ બોન્ડ શેર કરે છે. લોકો શોના કલાકારોને તેમના વાસ્તવિક નામથી ઓછા અને તેમના શોના પાત્રોના નામથી વધુ ઓળખે છે, પરંતુ શોના ઘણા કલાકારો એક પછી એક શોને અલવિદા કહી રહ્યા છે. ગયા વર્ષે તારક મહેતાનું પાત્ર ભજવનાર શૈલેષ લોઢાએ શો છોડી દીધો. આ પહેલા પણ કેટલાક કલાકારો શોને અલવિદા કહી ચૂક્યા છે.

તે પછી તાજેતરમાં જ મિસિસ સોઢીનો રોલ કરનાર અભિનેત્રી જેનિફર મિસ્ત્રીએ પણ શો છોડી દીધો છે. શોને છોડ્યા બાદ જેનિફર મિસ્ત્રીએ શોના નિર્માતા અસિત મોદી પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. અભિનેત્રીના આ નિવેદન પર અસિત મોદી અને તેમની ટીમે પણ પ્રતિક્રિયા આપી હતી. જેનિફર મિસ્ત્રીએ શો વિશે ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે. અભિનેત્રીના કહેવા પ્રમાણે, નિર્માતા કલાકારો સાથે ખૂબ જ ખરાબ વાત કરે છે અને તેમની ફી સમયસર ચૂકવતા નથી.

એક ઇન્ટરવ્યુમાં જેનિફર મિસ્ત્રીએ ખાલી અસ્તી મોદી સાથે જ નહીં પરંતુ શોના ઓપરેશન હેડ સોહેલ રામાણી અને શોના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતીન બજાજ વિશે પણ વાત કરી હતી. જેનિફરે કહ્યું કે મહિનાના પાંચ દિવસ પછી પણ પેમેન્ટ ન આવ્યું ત્યારે મેં સોહેલને ફોન કરીને તેના વિશે પૂછ્યું તો તેણે કહ્યું કે તમે અત્યારે ફોન કર્યો છે, 2-3 કલાકમાં પેમેન્ટ આવી જશે. બીજી તરફ જ્યારે મેં પેમેન્ટ રોકવાનું કારણ પૂછ્યું તો તેણે કહ્યું કે તે પ્રોડ્યુસર્સ સાથે આવી વાત નથી કરતો. નિર્માતા હંમેશા મોટો હોય છે અને અભિનેતા નાનો હોય છે.

આ સિવાય કલાકારોને સેટ પર માનસિક રીતે ખૂબ ટોર્ચર કરવામાં આવે છે. એકવાર મારે પાસપોર્ટ સંબંધિત કામ માટે પાસપોર્ટ ઓફિસ જવાનું થયું તો મેં 3 કલાકની રજા લીધી હતી. પણ આ માટે મારી સાથે યોગ્ય રીતે વાત કરવામાં ન આવી અને મારો અડધા દિવસનો પગાર પણ કાપી લેવામાં આવ્યો. શોના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતિન બજાજ વિશે વાત કરતા અભિનેત્રીએ કહ્યું કે તે ક્યારેય યોગ્ય રીતે વાત કરતા નહોતા.

જેનિફર કહે છે કે, અસંખ્ય વખત આવી ઘટનાઓ બની છે, જેની કોઈ કલ્પના પણ ન કરી શકે. 2-4 મુખ્ય કલાકારો સિવાય બાકીના બધાને સેટ પર માનસિક ત્રાસ આપવામાં આવે છે, પણ તેઓ કામ કરતા હોવાથી કોઈ બોલશે નહીં. હું પણ છેલ્લા ઘણા સમયથી દબાણમાં હતી અને આ લોકો મને પૂછે છે કે મેં 15 વર્ષ પછી અવાજ કેમ ઉઠાવ્યો. મેં હવે હિંમત ભેગી કરી છે અને હું બોલી શકી છું.

જણાવી દઈએ કે જેનિફરના યૌન ઉત્પીડનના આરોપો બાદ અસિત મોદીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું, ‘તે મને અને શોને બંનેને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે. અમે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરીશું કારણ કે અમે તેનો કરાર સમાપ્ત કર્યો હતો તેથી તે અમારી સામે આવા પાયાવિહોણા આક્ષેપો કરી રહી છે.

ayurved

Not allowed