
ઘરના વૃદ્ધ લોકો હંમેશા નાસ્તાને બદલે ગોળ-ચણા ખાવવાની સલાહ આપતા હોય છે. પરંતુ ધશું તમને ખબર છે કે ગોળ-ચણા ખાવવાના ફાયદા શું છે. ગોળ ચણા ખાવવાથી શરીરમાં ઘણા ફાયદા થાય છે.બન્નેને સાથે ખાવવાથી અઢળક ફાયદા થાય છે. ગોળ અને ચણા ઘણા સસ્તા હોય છે સાથે જ તે આસાનીથી ઉપલબ્ધ હોય છે.ગોળ અને ચણામાં અઢળક આયર્ન હોય છે. દરરોજ ગોળ અને ચણા ખાવાથી લોહીની સફાઈ થાય છે. ગોળ અને ચણામાં પોટેશિયમ, મિનરલ પ્રતિરોધક ક્ષમતા અને સોડીયમ હોય છે.
ગોળ અને ચણા ખાવવાથી એનિમિયાની તકલીફ દૂર થાય છે, એનિમિયા લોહીમાં હિમોગ્લોબીનની ખામીથી થનારી બીમારી છે. એનિમિયાની બીમારી મહિલાઓમાં વધારે જોવા મળે છે.આ બીમારીને નિયંત્રણમાં લાવવા માટે જરૂરી હોય છે કે, પર્યાપ્ત માત્રામાં આયરન લેવું જોઈએ. ગોળ અને ચણામાં ભરપૂર આયરન હોય છે. એનિમિયાથી બચવા માટે આ અકસીર ઈલાજ મદદગાર સાબિત થાય છે. ગોળ અને ચણા ખાવાથી થકાન અને કમજોરી નથી લાગતી.
ગોળ અને ચણાનું સેવન કરવાથી ડાયાબિટીસ અને તાવમાં પણ રાહત આપે છે. કબજિયાતના દર્દીઓ માટે ગોળ અને ચણાને સેવન ફાયદાકારક હોય છે. ડાયાબિટીસના દર્દીઓએ રાતે શેકેલા ચણા ગરમ દૂધ સાથે ખાવવાથી ફાયદો થાય છે.ગોળ અને ચણા સેવનથી પેટની સમસ્યા દૂર થાય છે. ગોળ અને ચણા ખાવવાથી પેટમાં ગેસ ઓછો થાય છે. તમે જમ્યા બાદ એકલો ગોળનું સેવન પણ કરી શકો છો જેનાથી તમને પચવામાં સરળતા રહેશે.ગોળ અને ચણાનું વધુ સેવન ભોજનની આદતને પ્રભાવિત કરી શકે છે.તેથી એક નિશ્ચિત માત્રામાં જ તેનું સેવન કરવું જોઈએ. નિશ્ચિત માત્રામાં સેવન કરવાથી વધારે ફાયદેમંદ છે.
દરરોજ રાતે સુતા પહેલા એક મુઠી ચણા પલાળી સવારે ગોળ સાથે ખાલી પેટે ખાવવાથી અનેક ફાયદા થાય છે.જે પુરુષોની વીર્ય પાતળું હોય તેને ચણા અને દૂધ ખાવવાથી વીર્ય પાતાળાપણાની સમસ્યા દૂર થઇ જાય છે.ગોળ અને ચણા સાથે ખાવવાથી ચહેરાની સુંદરતા વધારે છે.જેને વાર વાર મૂત્ર આવવાની સમસ્યા છે તેને દરરોજ ચણાનો સેવન કરવું જોઈએ. શેકેલા ચણાના સેવનથી મૂત્ર સંબંધી રોગોથી છુટકારો મળે છે.