લફડેબાજ બાયડી ને લીધે સુરેન્દ્રનગરમાં પતિએ કરી લીધો આપઘાત, આખી સ્ટોરી જોઈને કહેશો ખરેખર કળયુગ આવી ગયો સે

પતિ, પત્ની અને વોના ઘણા બધા કિસ્સાઓ છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાંથી સામે આવી રહ્યા છે. ઘણીવાર આવા મામલાઓમાં કોઈની હત્યા પણ કરી દેવામાં આવતી હોય છે તો કોઈ આપઘાત કરીને પણ પોતાનું જીવન ટૂંકાવી લેતા હોય છે. હાલ આવો જ એક મામલો સુરેન્દ્ર નગરમાંથી સામે આવ્યો છે, જેમાં પત્નીના લગ્નેત્તર સંબંધોના કારણે એક પતિએ ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લીધો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર લખતર તાલુકાના વરસાણી ગામમાં રહેતા અશ્વિનભાઈ રાજાભાઈ મકવાણાના લગ્ન વઢવાણ તાલુકાના દેદાર ગામમાં રહેતી જ્યોત્સ્ના સાથે 3 વર્ષ પહેલા થયા હતા. ત્યારે તેના પતિનો મિત્ર દશરથ ગજાભાઇ રાતોંજા પણ તેના ઘરે સતત આવતો રહેતો અને આ દરમિયાન જ જ્યોત્સ્ના સાથે તેની આંખ મળી ગઈ હતી. દશરથે જ્યોત્સ્નાને ધર્મની બહેન પણ બનાવી હતી.

આ દરમિયાન ગત 26 ઓગસ્ટના રોજ અશ્વિન ગેસનો બોટલ ભરાવવા માટે ગયો હતો, જયારે તે પરત આવ્યો ત્યારે તેની પત્ની ઘરે નહોતી, પૂછવા ઉપર તે પિયર ગઈ હોવાનું જાણવા મળ્યું. આ સમયે જ્યોત્સ્ના 6 મહિનાની ગર્ભવતી હતી. ત્યારે અશ્વિનને શંકા જતા તેને મિત્ર દશરથના ઘરે પણ તપાસ કરી તે પણ ત્યાં હાજર નહોતો. જેના બાદ તપાસ કરતા સામે આવ્યું કે દશરથ જ જ્યોત્સ્નાને ભગાડી ગયો છે.

ત્યારે અશ્વિને પોલીસ ફરિયાદ કરી હતી, પરંતુ પોલીસ સ્ટેશનમાં અરજી કરવા છતાં પણ કોઈ કાર્યવાહી થઇ નહોતી. જેના બાદ ગત 2 સપ્ટેમ્બરના રોજ અશ્વિને આપઘાત કરીને પોતાનું જીવન ટૂંકાવી લીધું. આપઘાત કરતા પહેલા તેને એક વીડિયો પણ શેર કર્યો હતો અને સમગ્ર હકીકત જણાવી હતી. આ મામલે મૃતક અશ્વિનના પિતાએ લખતર પોલીસ મથકે ફરિયાદ નોંધવી હતી જેનાબ યાદ પોલીસે આ મામલે ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

વીડિયોમાં અશ્વિન જણાવી રહ્યો છે કે, “જય માતાજી, હું મકવાણા અશ્વિન, ગામ વરસાણી, તાલુકો લખતર, જિલ્લો સુરેન્દ્રનગર. મેં દેદાદરાની ઠાકોર સમાજની છોકરી સાથે લગ્ન કર્યાં છે. મેં જેને મિત્ર જેવો માન્યો હતો તે મારો મિત્ર મારી પત્નીને લઈને ભાગી ગયો છે. ફોસલાવી લલચાવી તેના પિતા કોઈ ગોત કરવામાં રાજી નથી. આથી હું આત્મહત્યા કરવા જઈ રહ્યું છું. મારા મોતની જવાબદારી રાતોજા દશરથભાઈ ગજાભાઈની રહેશે. જો ત્રણ દિવસમાં હાજર નહીં થાય તો આનો કેસ નોંધાશે કે મેં તેમના કારણે આપઘાત કર્યો.”

Team Akhand Ayurved

Not allowed