મંદિરમાં ચૂપ ચાપ રાખીને આવો આ વસ્તુઓ, દૂર થશે બધી મુશ્કેલીઓ

ઘણી વખત લોકો ફરિયાદ કરે છે કે તેમને તેમની મહેનતનું ઇચ્છિત પરિણામ નથી મળતું. જો તેઓને જે પ્રશંશા અને પૈસા મળવાના હક છે તે ન મળી રહ્યા હોય, તો અમે એવા લોકો માટે મંદિરમાં જઈને આટલું જરૂર કરવું જોઈએ.

1.કપાસ: જો તમે પણ કોઈ કાર્યમાં સફળતા મેળળવા ઇચ્છતા હોવ તો તેના માટે ચોખા સાથે કપાસ મંદિરમાં રાખો. તેની સાથે હાથમાં કેટલીક ખાંડના દાણા પણ લઇ લો. આને કોઈ પણ મંદિરમાં ચૂપ ચાપ લઇ જઈને રાખી દો. આવું કરવાથી વ્યક્તિને તેની મહેનતનું ફળ મળવા લાગે છે.

2.ચોખાથી ભરેલો કલશઃ તાંબાના કલશનું આ નાનકડો ઉપાય ખૂબ જ ચમત્કારી છે. તાંબાનો સૌથી નાનો કળશ લો અને તેમાં ચોખા ભરો અને કોઈ મંદિરમાં ચૂપ ચાપ મૂકીને આવો. આ ઉપાય દરમિયાન ધ્યાન રાખો કે નવા કળશનો ઉપયોગ કરવો જોઈએ. આ ઉપાય કરવાથી વ્યક્તિનું જીવન બદલાઈ જાય છે. અને તેને દરેક કાર્યમાં સફળતા મળે છે.

3.ચાંદીનો ટુકડોઃ કરિયરમાં સફળતા મેળવવા માટે હાથમાં ચાંદીનો ટુકડો લઈને તેને ફૂલ અને ચોખાની વચ્ચે છુપાવીને ઘરની નજીકના મંદિરમાં રાખો. જો તેને મંદિરમાં રાખવું શક્ય ન હોય તો તેને ઘરના મંદિરમાં પણ રાખી શકાય છે.

4.સોપારીઃ સોપારીનો ઉપયોગ તમારા સુતા નસીબને તેજ કરવા માટે પણ કરી શકાય છે. એવું માનવામાં આવે છે કે સોપારી ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. સુપારીનો ઉપયોગ પૂજા અને શુભ કાર્યો માટે થાય છે. સોપારી સફળતા માટે ખૂબ જ ચમત્કારિક માનવામાં આવે છે. આ માટે ચોખાને રૂમાલમાં લપેટીને એક સોપારી રાખો અને કોઈને જાણ કર્યા વિના મંદિરમાં રાખો.

5.એક રૂપિયાનો સિક્કો: કોઈ મુસીબતમાંથી મુક્તિ મેળવવા માટે મંદિરમાં એક રૂપિયાનો સિક્કો ચઢાવી શકાય છે. તેના માટે 1 રૂપિયાનો સિક્કો 1 મુઠ્ઠી ચોખાની સાથે લેવો. હવે દેવતા સમક્ષ પોતાની મુસીબત રાખો અને એક રૂપિયાનો સિક્કો કોઈ ખુલ્લામાં સુરક્ષિત રાખી દો. આવું ઘરના મંદિરે પણ કરી શકાય છે.

team ayurved

Not allowed