વાર અનુસાર ના કરો આ વસ્તુઓનું સેવન, નહિ તો ભોગવવું પડી શકે છે ગ્રહોના અશુભ પરિણામ

જ્યોતિષશાસ્ત્ર અનુસાર આપણી દિનચર્યા વ્યક્તિની ગ્રહ સ્થિતિને અસર કરે છે. તેથી જ જ્યોતિષમાં કેટલીક એવી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેને અનુસરીને આપણે ગ્રહોના અશુભ પરિણામોથી પોતાને બચાવી શકીએ છીએ. જ્યોતિષ શાસ્ત્રમાં વ્યક્તિએ દિવસ પ્રમાણે અમુક વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ. આમ કરવાથી ગ્રહોની સ્થિતિ મજબૂત થાય છે.

1.બુધવાર – બુધવાર ગણેશજીને સમર્પિત છે. બુધ ગ્રહને વાણી અને બુદ્ધિનો કારક માનવામાં આવે છે. તેથી બુધ ગ્રહને બળવાન કરવા અને તેના શુભ ફળ મેળવવા માટે લીલા શાકભાજીનો ભોગ લગાવવો જોઈએ. કહેવાય છે કે આ દિવસે લીલા શાકભાજીનું દાન કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

2.શુક્રવાર – શુક્રવાર દેવી લક્ષ્મીને સમર્પિત છે. કહેવાય છે કે આ દિવસે તમામ દેવી-દેવતાઓની પૂજા કરવાનો નિયમ છે. આવી સ્થિતિમાં સારા સ્વાસ્થ્ય માટે અને કુંડળીમાં શુક્રને બળવાન બનાવવા માટે શુક્રવારે ખાટી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ.

3.શનિવાર – શનિવાર શનિદેવને સમર્પિત છે. આ દિવસે શનિદેવને તેમની કૃપા મેળવવા માટે સરસવનું તેલ ચઢાવવામાં આવે છે. આવી સ્થિતિમાં જ્યોતિષશાસ્ત્ર અનુસાર વ્યક્તિએ શનિવારે તેલથી બનેલી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ.

4.ગુરુવાર- આ દિવસ ભગવાન વિષ્ણુ અને બૃહસ્પતિ દેવને સમર્પિત છે. કહેવાય છે કે આ દિવસે કેળાનું દાન કરવું ખૂબ જ શુભ હોય છે. પરંતુ આ દિવસે કેળા અને દૂધનું સેવન કરવાનું ભૂલવું ન જોઈએ. એવું માનવામાં આવે છે કે કેળાના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ છે.

5.મંગળવાર- કુંડળીમાં મંગળની સ્થિતિ મજબૂત રાખવા માટે ઘીનું સેવન અશુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે બળવાન મંગળ વ્યક્તિને હિંમતવાન, શકિતશાળી અને નિર્ભય બનાવે છે. તેથી આ દિવસે બને ત્યાં સુધી ઘીનો ઉપયોગ ન કરવો.

6.સોમવાર- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સોમવાર ભગવાન શિવની સાથે ચંદ્રનો પણ દિવસ છે. આ દિવસે ચંદ્રની પૂજા કરવાથી વ્યક્તિની કુંડળીમાં ચંદ્રની સ્થિતિ સારી બને છે. આ દિવસે ખાંડનું સેવનકરવું ટાળવું જોઈએ.

team ayurved

Not allowed