ઘઉંની નહિ પણ આ લોટની રોટલી ખાશો તો ક્યારેય નહીં પડો બીમાર, વજન ઉતારવો હોય તો ‘રામબાણ રોટલી’ વિશે જલ્દી વાંચો
ડાયાબિટીસના દર્દીઓને તેમના આહારનું વિશેષ ધ્યાન રાખવું પડે છે. આવી સ્થિતિમાં જો ખોરાકમાં થોડી પણ ભૂલ થઇ જાય તો બ્લડ શુગર લેવલ વધતા વાર નથી લાગતી. સામાન્ય રીતે ભારતીયોના ઘરમાં લગભગ ઘઉંનો લોટ જ ખાવામાં આવે છે, પરંતુ ડાયાબિટીસના દર્દીઓ કેટલાક ચોક્કસ લોટમાંથી બનેલી રોટલી ખાય તો તેમને ફાયદો થઇ શકે છે, જેનાથી શરીરને પુષ્કળ પ્રમાણમાં ફાઈબર મળે અને સ્વાસ્થ્ય સારું રહે. આ સિવાય બ્લડ શુગરને સામાન્ય રાખવામાં પણ મદદ થાય છે. ઘણા સંશોધનોમાં એવું સાબિત થયું છે કે મોટું અનાજ ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે અને તેમાંથી બનેલી રોટલી બ્લડ સુગર લેવલને વધવા દેતી નથી. તો ચાલો જાણીએ કે ડાયાબિટીસના દર્દીઓ માટે કયો લોટ ફાયદાકારક છે.
રાગીનો લોટ-ડાયાબિટીસના દર્દીઓ માટે રાગીનો લોટ સારો માનવામાં આવે છે અને તે ડાયેટરી ફાઈબરથી ભરપૂર હોય છે. તેના લોટમાંથી બનેલી રોટલી ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને તેને કારણે તમે વધુ ખોરાક ખાતા નથી અને વજન પણ વધતું નથી.
ઓટનો લોટ-ઓટ્સમાં ફાઈબરની માત્રા વધારે હોવાને કારણે બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે અને ઓછી કેલરીને કારણે વજન પણ ઘટાડવામાં મદદ કરે છે. 100 ગ્રામ ઓટ્સમાંથી શરીરને 68 કેલરી અને 21 ગ્રામ ફાઈબર મળે છે. તેથી જ ઓટ્સના લોટમાંથી બનેલી રોટલી ફાયદાકારક છે.
જવનો લોટ-જવને બાર્લી પણ કહેવાય છે અને તેનો લોટ સ્વાસ્થ્ય માટે ઘણો ફાયદાકારક હોય છે. ડાયાબિટીસના દર્દીઓ જવના લોટમાંથી બનેલી રોટલી કોઈપણ ટેન્શન વગર ખાઈ શકે છે. તેનાથી મેટાબોલિઝમને બૂસ્ટ થાય છે. આ ઉપરાંત જવનો લોટ કોલેસ્ટ્રોલ લેવલને પણ કંટ્રોલ કરે છે.
જુવારનો લોટ-ડાયાબિટીસના દર્દીઓ માટે જુવારનો લોટ સારો વિકલ્પ બની શકે છે. તેમાં ફાઈબર, કાર્બોહાઈડ્રેટ્સ અને એન્ટીઓક્સીડેન્ટ પણ વધુ હોય છે. તેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ પણ ઓછો છે, જેના કારણે શુગર લેવલ અચાનક વધતું નથી.