શું તમે પણ વધેલા પેટથી પરેશાન છો ? તો અપનાવો આ 5 ટિપ્સ, ધડાધડ ઉતરવા લાગશે તમારું વજન અને પેટ

ફૂલેલી ફાંદ ચુપચાપ અંદર જતી રહેશે, આટલું ફોલો કરો: ઝડપથી વજન ઘટાડવા અને વધેલા પેટને અંદર લેવા માટે આ 5 ડાયટ ટિપ્સ છે સૌથી સરળ અને ફાયદાકારક:

આજના સમયમાં વજન વધવાની સમસ્યા એક સામાન્ય બાબત બની ગઈ છે. મોટાભાગના લોકો આજે આ સમસ્યાનો ભોગ બનેલા છે. તેની પાછળનું મુખ્ય કારણ છે આપણી ખાણીપીણી. આજે એવા પ્રકારનો ખોરાક અને જંકફૂડ આપણે ખાઈએ છીએ જેના દ્વારા વજન વધારો થવો સાવ સામાન્ય બાબત બની ગઈ છે. પરંતુ વધારે વજન બીમારીઓ પણ લાવી શકે છે. જેના કારણે સ્વસ્થ્ય અને સુડોળ શરીર જ માણસને લાંબા સમય સુધી નિરોગી રાખી શકે છે.

આજે અમે તમને વજન ઘટાડવા અને વધેલા પેટને અંદર લેવા માટેની એકદમ સરળ અને ફાયદાકારક 5 ડાયટ ટિપ્સ જણાવીશું જે તમને ખુબ જ ઉપયોગી થઈ શકશે.
1. ફેટને બાળવા માટે ઓછા પ્રોટીંન વાળો ખોરાક લેવો જોઈએ. તેલમાં તળેલી વસ્તુઓ ખાવાના બદલે ગ્રિલ્ડ વસ્તુઓ ખાવાનો આગ્રહ રાખવો. તેલમાં વધારે તળેલી વસ્તુઓ ખાવાથી શરીરમાં ફેટ વધે છે. જયારે શેકેલી વસ્તુઓ શરીરમાં ફેટ નથી વધવા દેતી.

2. આલ્કોહોલ, કોલ્ડ ડ્રિન્ક અને ગળી વસ્તુઓનું સેવન કરવાથી બચવું જોઈએ. તો બીજી તરફ આઇસ્ક્રીમથી પણ શરીરમાં ચરબી વધે છે અને તેનાથી બનેલો ફેટ ઓછો થવામાં કે ખતમ થવામાં ઘણો જ સમય લાગી શકે છે.
3. જો તમે ખરેખર તમારું વજન ઘટાડવા અને વધેલા પેટને અંદર લેવા માંગતા હોય તો તમારે તમારા દૈનિક જીવનમાં બદલાવ કરવો પડશે. ખાસ કરીને પોતાના ડાયટમાં બદલાવ કરવાની જરૂર છે. વધારે શુગર, કેલોરી ખાવાથી બચવું પડશે.

4. બદામની અંદર 5 ગ્રામ પ્રોટીંગ હોય છે જે આખી રાત માંશપેશીઓને રીપેર કરે છે અને ફાયબર રાત્રે ભૂખ નથી લાગવા દેતું. આ ઉપરાંત બદામને શરુરની ચરબી ઓછી કરવા માટે સુપરફુડ માનવામાં આવે છે. તે શરીરમાં વધારાના વસાને ઘટાવે છે. ઉચ્ચ ફાયબર યુક્ત અનાજમાં કાર્બોહાઇડ્રેટ અને ફાયબર મળી આવે છે જે પેટને ભરેલું રાખે છે અને શરીરના વસાને ઘટાવે છે.

5. પાનવાળા શાકભાજીને વજન ઘટાડવાના ડાયટમાં ઉમેરી શકો છો. તેમાં કાર્બોહાઇડ્રેટ અને કેલોરી બહુ જ ઓછી હોય છે પરંતુ ફાયબર ભરપૂર હોય છે. આ શાકભાજીને તમે વધારે કેલોરી વપરાશ કર્યા વગર વધારે પ્રમાણમાં ખાઈ શકો છો. જેના કારણે તમને બીજી વસ્તુઓ ખાવાની જરૂરિયાત નહીં રહે અને મોટાપાને ઘટાડવામાં પણ ફાયદો થશે.

Team Akhand Ayurved

Not allowed