ભારત દેશમાં ઘણી આયુર્વેદિક દેશી દવાઓની શોધ કરવામાં આવી છે. પ્રાચીન ઋષિમુનિયોના સમયથી આયુર્વેદને આપણા દેશમાં ખુબ જ મહત્વ આપવામાં આવ્યું છે. આજે પણ વિદેશીઓ ભારતમાં આવીને આવી ઘણી આયુર્વેદિક દવાઓની શોધ કરે છે અને તેનો ઉપયોગ કરી અને લાંબા સમય સુધી તંદુરસ્ત પણ રહેતા હોય છે.
સીતાફળ ખાવાનું મોટાભાગના લોકોને પસંદ હોય છે. સીતાફળની બનેલી વાનગીઓ પણ આપણે પસંદ કરતા હોઈએ છીએ જેમ કે સીતાફળ આઈસ્ક્રીમ, બાસુંદી વગેરે. પણ મોટાભાગે આપણે સીતાફળ ખાઈને તેના જે કાળા રંગના બીજ આવે તેને ફેંકી દેતા હોઈએ છીએ. તો કેટલીકવાર તેનો આપણે બીજ તરીકે પણ ઉપયોગ કરીએ છીએ. કારણ કે આપણને સીતાફળના એ બીજના ફાયદાઓ વિષે સાંજ નથી.
પરંતુ આજે અમે તમને સીતાફળ બીજના એ ચમત્કારિક ફાયદાઓ વિષે જણાવીશું. જે વાંચ્યા બાદ તમે એ બીજને ફેંકવાને બદલે ઉપયોગમાં લેવાનું શરૂ કરશો. આ બીજ ઘણી જ મોટી બીમારીઓ સામે રક્ષણ આપે છે. બજારમાં જે બીમારીની દવા મોટી રકમ ખર્ચીને મળી શકે છે એ બીમારી તમે સાવ મફતમાં જ સીતાફળના બીજથી જ મટાડી શકો છો.
કેન્સર અને ડાયાબિટીઝ:
એક સંશોધનમાં સામે આવ્યું છે સીતાફળના બીજ કેન્સર અને ડાયાબિટીઝ જેવી ગંભીર બીમારીઓમાં પણ રક્ષણ આપે છે. તેને નિયંત્રણ કરવામાં પણ સીતાફળના બીજ ખુબ જ ઉપયોગી બને છે.
થાક દૂર કરે છે:
આ એક એવું ફળ છે જે તમારા થાકને તરત જ દૂર કરે છે. સીતાફળના બીજ પણ તમારા થાકને દૂર કરવામાં મદદગાર બને છે. તેના બીજથી શરીરમાં ઉર્જાનો સંચાર થાય છે અને થાક તેમજ માનસિક તાણ પણ દૂર થાય છે.
રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે:
સીતાફળના બીજ રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. તેની અંદર વિટામિન સી મળી આવે છે જે રોગો સામે લડવામાં પણ રક્ષણ આપે છે તેના કારણે જ આ બીજનો ઉપયોગ ઘણી દવાઓમાં પણ કરવામાં આવે છે. તેનાથી શરીરની ઉર્જા પણ જળવાઈ રહે છે.
લોહીની ઉણપ દૂર કરે છે:
સીતાફળના બીજની અંદર વિટામિન બી પણ રહેલું છે જે શરીરમાં લોહીની ઉણપને દૂર કરે છે અને એનેમિયાથી પણ બચાવે છે.
પાચનશક્તિ વધારે છે:
સીતાફળના બીજમાં તાંબું અને ફાયબર ભરપૂર માત્રામાં રહેલું છે જે તમારી પાચન ક્ષમતાને વધારવામાં ખુબ જ મદદગાર રહે છે. ફાયબર તમારા મળને નરમ કરે છે જેના કારણે તમને કબ્જની સમસ્યમાં પણ રાહત મળે છે.
હૃદયને રાખે છે સ્વસ્થ:
સીતાફળના બીજની અંદર મેગ્નેશિયમ અને પોટેશિયમ પણ રહેલા છે જે બ્લડ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે જેના કારણે હૃદય પણ સ્વસ્થ રહે છે.
આંખો માટે છે લાભદાયક:
સીતાફળના બીજમાં વિટામિન સી અને વિટામિન એ પણ રહેલા છે જે આંખો માટે ખુબ જ ફાયદાકારક છે. જે તમારી આંખોનું તેજ વધારવામાં ખુબજ મદદગાર બને છે.