સોશિયલ મીડિયા પર હાલના દિવસોમાં રિયાલિટી ટીવી સુપરસ્ટાર બેલિન્ડા લવ રેગર ચર્ચાનો વિષય બની છે. બેલીન્ડાએ તાજેતરમાં જ રેડિયો શો You’re a Grub Mate માં પોતાના જીવન વિશેના અનેક ગુમનામ ખુલાસાઓ કરીને લોકોને ચોંકાવી દીધા છે.બેલિન્ડા વ્યવસાયથી એક પ્રોફેશનલ રિલેશનશિપ ગુરુ છે.
ગત દિવસોમાં તેણે ખુલાસો કરતા પોતાના યૌન સંબંધની લત વિષે ખુલાસો કર્યો હતો અને કહ્યું કે તેને એવી લત હતી કે અઠવાડિયામાં છ રાત કોઈની સાથે સબંધ બનાવીને પસાર થઈ હતી અને તેના માટે તે અલગ અલગ પાર્ટનરની શોધ કરતી રહેતી હતી. એવામાં હાલ તેણે પોતાની આ આદત પર કાબૂ મેળવી લીધો છે અને હવે તેને આવી કોઈ જ લત નથી.
બેલિન્ડાએ કહ્યું કે તે યૌન સંબંધ બનાવવા માટે અલગ અલગ પાર્ટનરની શોધ કરતી રહેતી હતી અને અત્યાર સુધીમાં તે 700 થી વધારે પુરુષો સાથે સંબંધ બનાવી ચુકી છે. બેલિન્ડા એક સમયે ખરાબ પુરુષોની સંગતમાં ચાલી ગઈ હતી જેને લીધે તેને આવી લત લાગી ગઈ હતી અને તેને પોતાની આ લતને લીધે હાલ કોઈ શરમિંદગી કે પસ્તાવો બિલકુલ પણ નથી.
બેલીન્ડાએ કહ્યું કે,”હું જે કઈ સાંભળવા કહેવા માંગતી હતી મારા પાર્ટનરર્સ તે જ વાતો મારી પાસેથી સાંભળતા હતા અને કહેતા હતા. મને લાગતું કે તેઓ મને સારી રીતે સમજે છે અને ઓળખે છે, તેઓની સાથે સંબંધ બનાવવા કરતા વધારે મને ખુશી મને સાચો પ્રેમ મળવા બદલ થતી હતી”. બેલીન્ડાએ એવું પણ કહયું કે ગત આઠ વર્ષોથી તેની આ આદતમાં હવે સુધારો આવી ગયો છે અને તેણે ગત 15 ,મહિનાથી કોઈની પણ સાથે સંબંધ બનાવ્યા નથી.
View this post on Instagram
હાલ બેલિન્ડા લવ ગુરુ બનીને પૈસા કમાઈ રહી છે અને જ્યારે તેના કોઈ શો ન હોય ત્યારે તે રિલેશનશિપ ગુરુ બનીને પોતાના ક્લાઇન્ટ્સને સલાહ આપે છે. બેલીન્ડાએ કહ્યું કે સમાજના વિચારો ખુબ નીચે જઈ રહ્યા છે. લોકો યૌન સંબંધને ખુબ ખરાબ મતલબથી સમજી રહ્યા છે જે માત્ર અમુક ક્ષણનું સુખ છે. બેલિન્ડા આવે કહ્યું કે હવે તે તેની જ સાથે જ સુખની ક્ષણો વિતાવશે જેની સાથે તેનું કનેક્શન કઈ ખાસ અનુભવ કરાવી શકે.