
લોકોનો હસાવતો ટીવી શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” આ દિવસોમાં અન્ય કારણસર ચર્ચામાં છે. ઘણા વર્ષોથી ટીવીમાં રોશન ભાભીની ભૂમિકા ભજવનાર અભિનેત્રી જેનિફર મિસ્ત્રીએ શોના નિર્માતા અસિત મોદી પર છેડતીનો આરોપ લગાવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી આ મામલો ખૂબ ચર્ચામાં છે.
અસિત મોદીની સાથે જેનિફરે શોના પ્રોડક્શન હેડ સોહેલ રહેમાની અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતિન બજાજ પર પણ આરોપ લગાવ્યા છે. અભિનેત્રીએ આ મામલે ફરિયાદ પણ નોંધાવી છે. દરમિયાન આ મામલે ફરી એકવાર અભિનેત્રીની પ્રતિક્રિયા સામે આવી છે. ANI સાથેની વાતચીતમાં તેણે આ મામલે ફરી વાત કરી છે.
જેનિફર મિસ્ત્રીએ કહ્યું કે નોટિસમાં તેણે જે પણ કહ્યું છે તેમાં કોઈ જૂઠ નથી. તેણે દરેક વાત સાચી કહી છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આગળ, જેનિફરે એમ પણ કહ્યું કે જેઓ એવી વાતો કરી રહ્યા છે કે અસિત મોદીએ તેની સાથે યૌન સંબંધ બનાવ્યા હતા તો એવું કંઈ નથી. અભિનેત્રીનું કહેવું છે કે અસિત મોદીએ તેની સાથે માત્ર મૌખિક વાત કરી હતી.
અભિનેત્રીએ દરેકને અનુરોધ કર્યો હતો કે જે સાચું છે તેને આગળ વધારવું જોઈએ અને કોઈની ગરિમાને ઠેસ ન પહોંચાડવી જોઈએ. આ પહેલા જેનિફરે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો અને કહ્યું હતું કે તેના મૌનને નબળાઈ ના માનવામાં આવે. તેણી મૌન હતી કારણ કે તેણી જાણે છે કે કેવી રીતે વર્તવું. જો કે જેનિફરે તે વીડિયોમાં કોઈનું નામ નથી લીધું, પરંતુ એવું કહેવાય છે કે તે અસિત મોદીનો જ ઉલ્લેખ કરી રહી હતી.
#WATCH जो लोग बोल रहे हैं कि असित मोदी ने मेरे साथ यौन संबंध बनाए हैं मैं कहना चाहती हूं ऐसा कुछ नहीं है उन्होंने बस मेरे से ऐसी चीजे बोली हैं। पुलिस जांच कर रही है। मैंने नोटिस में कुछ झूठ नहीं बोला है: टीवी कलाकार जेनिफर मिस्त्री, जबलपुर pic.twitter.com/qjgDVDama8
— ANI_HindiNews (@AHindinews) May 15, 2023