તાંત્રિકે વિધિના નામે અમદાવાદની મહિલાના એક પછી એક કપડાં ઉતાર્યા, તાંત્રિકે કહ્યું કે અપશુકન દૂર કરવા માટે વિધી…

જમાનો કેટલો પણ આગળ વધી જાય પરંતુ કેટલાક લોકો તો એવા હોય જ છે, જે અંધશ્રદ્ધામાં વિશ્વાસ રાખતા હોય છે. પરંતુ ઘણીવાર એવું બને છે કે આવી અંધશ્રદ્ધા કેટલાકને ભારે પડતી હોય છે. અમદાવાદના એક પરિવારની મુશ્કેલી દૂર કરવા માટે તાંત્રિક વિધિ કરવા માટે આવ્યો અને આ દરમિયાન તે મહિલા સાથે એવો કાંડ કરી ગયો કે સાંભળી તમે પણ ચોંકી ઉઠશો. જે તાંત્રિકને વિધિ માટે બોલાવવામાં આવ્યો હતો તેણે એકલતાનો લાભ લઈને મહિલા સાથે શારીરિક અડપલા કરવાનું શરૂ કર્યું અને મહિલાએ તેનો પ્રતિકાર કર્યો તો આરોપી ફરાર થઈ ગયો. આ મામલે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.

ભૂતકાળમાં ઘણીવાર તાંત્રિકો કે ભૂવાઓ દ્વારા મહિલાઓ સાથે છેડતી કે બળાત્કારના કિસ્સાઓ અનેક સામે આવી ચૂક્યા છે અને અમદાવાદના રામોલમાંથી પણ હાલમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો. એક તાંત્રિકે તાંત્રિક વિધી કરવાના બહાને પરણિતાની લાજ લૂંટવાનો પ્રયાસ કર્યો. તાંત્રિકે પરણિતાના કાપડા ફાડી નાખ્યા અને ગંદુ કૃત્ય કરતા મહિલાએ બૂમાબૂમ મચાવી દીધી.જો કે, આ મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચતા પોલીસે નરાધમ તાંત્રિકને ઝડપી તેની સામે ગુનો નોંધ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ, એક મહિલાએ રામોલ પોલીસ સ્ટેશનમાં એક તાંત્રિક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

અને તેણે ફરિયાદમાં એવા આક્ષેપો કર્યા કે, તાંત્રિકે ઘરમાંથી અપશુકન દૂર કરવા માટે વિધીના બહાને તેના કપડા ઉતાર્યા અને છેડતી કરીને લાજ લૂંટવાનો પ્રયાસ કર્યો. પીડિત મહિલા વસ્ત્રાલમાં રહે છે અને તેનો પતિ સ્કૂલ વાન ડ્રાઈવર તરીકે કામ કરે છે. મહિલાના પતિનો સંપર્ક સાથે કામ કરતા પ્રવીણસિંહ ગોર નામના વ્યક્તિ સાથે થયો અને તેણે આ શખસને પોતાના પરિવારની આર્થિક તંગી વિશે વાત કરી. ત્યારે પ્રવીણસિંહ ગોરે એવો દાવો કર્યો કે, તે એક ભૂવો છે. તાંત્રિક વિધી કરીને તે તેના ઘરની મુશ્કેલીઓ દૂર કરવામાં મદદ કરશે.

આ વાતોમાં મહિલાનો પતિ આવી ગયો અને તેણે આ વાતની જાણ પત્નીને પણ કરી.તે બાદ પ્રવીણસિંહ ગોરનો સંપર્ક કરી તેને ઘરે બોલાવવામાં આવ્યો અને આ નરાધમે પતિ, પત્ની અને દીકરાની હાજરીમાં કેટલીક તાંત્રિક વિધી કરી. તાંત્રિક વિધી કર્યા પછી તેણે પતિ અને દીકરાને અશુદ્ધ કહી બહાર કાઢ્યા અને જ્યારે પતિ અને દીકરો રુમમાંથી બહાર જતા રહ્યા ત્યારે આ નરાધમ તાંત્રિકે કથિત રીતે મહિલાના કપડા ફાડ્યા અને તેને બાથમાં પકડી લીધી. આ રીતે તાંત્રિકે મહિલાની લાજ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો.

જો કે, મહિલા તાંત્રિકની કરતૂતોથી ડરી ગઈ અને મહિલા બૂમો પાડી તરત રુમમાંથી દોડીને બહાર આવી ગઈ. આ વાતની જાણ થતા તાંત્રિક ત્યાંથી રફુચક્કર થઈ ગયો. જે બાદ મહિલા અને તેના પરિવારે તાંત્રિકને પાઠ ભણાવવાનું નક્કી કર્યુ અને પછી પોલીસ સ્ટેશનમાં તાંત્રિક પ્રવીણસિંહ ગોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

ayurved

Not allowed