આગળના બે વર્ષથી કોરોનાની મહામારી સમગ્ર વિશ્વ સહિત ભારતમાં પણ ફેલાયેલી છે. આ સમયમાં વર્ક ફ્રોમ હોમનું પણ ચલણ વધ્યું છે.એવામાં ઘરે રહેવાના લીધે વજન પણ ખુબ વધતું જઈ રહ્યું હોવાની પણ ઘણી જ ફરિયાદો ઉઠી રહી છે.વર્ક ફ્રોમ હોમ અને ટેક્નોલોજીના લીધે લોકોનું જીવન પણ બેઠાડું થઈ રહ્યું છે, જેને લીધે વજન પણ વધી રહ્યું છે. આ કારણે જ ઘણાં લોકો હવે વજન ઘટાડવા વિશે વિચારતાં થયા છે. એવામાં લોકો ડાઈટનો સહારો લે છે. પરંતુ છતાં પણ સવાલ ઉઠે છે કે આખરે વજન ઉતારવાની યોગ્ય રીત કઈ છે?
શું તેના માટે વહેલી સવારે ઉઠીને જીમ જવું જોઈએ કે પછી યોગ્ય ડાયેટની મદદથી જ વજન ઘટી શકે છે? જોકે, મોટાભાગની રીતો લાંબી રીતે ટકી શકે તેવી નથી હોતી. જે કારણોસર જો તમારે વજન યોગ્ય રીતે ઘટાડવું હોય અને મેઈન્ટેન કરવું હોય તો તમારે ઘણી જ વાતનું ધ્યાન રાખવું પડે છે. સિમ્પલ તેમજ આયુર્વેદિક ટીપ્સ પણ તમારા કામમાં આવી શકે છે. જે તમને મદદરુપ થઈ શકે છે.આવો તો જાણીએ કે આખરે કેવી રીતે સરળ રીતથી વજન ઉતારવો.
1. પૂરતી ઉંઘ લેવી:
વજન ઘટાડવા માટે તથા વજન વધારવા માટે પણ કેટલીક યોગ્ય રીત હોય છે. જેના માટે પૂરતા પ્રમાણમાં ઊંઘ લેવી જરૂરી છે. જેનો યોગ્ય સમય રાતે 10.00 કલાકથી લઈને સવારે 6.00 કલાક સુધી માનવામાં આવ્યો છે. જો પૂરતી ઉંઘ લેવામાં ન આવે તો માનસિક અને શારીરિક થાક લાગી શકે છે.
2. કટકે-કટકે ખાવાનું રાખો:
શારીરિક ઉર્જા માટે શરીરને નિયમિત અંતરે ખોરાક આપતા રહેવું જરૂરી છે. હંમેશા એક જ સમયે ભરપેટ ભોજન લેવું ન જોઈએ. દિવસમાં ત્રણ વાર નિયમિત અંતરે ભોજન લેવાનું રાખો. સમયાંતરે કટકે-કટકે અને હળવું ભોજન લેવાથી શરીરને યોગ્ય પોષણ તેમજ ઉર્જા પણ મળતી રહે છે.
3. સિઝનલ ભોજન લેવું:
હંમેશા સિઝન અનુસાર જ યોગ્ય ભોજન લેવું જોઈએ. સિઝન અનુસાર એટલે કે ઉનાળામાં શરીર ઠંડુ રહે તે અનુસાર અને શિયાળામાં શરીર ગરમ રહે તે અનુસાર ભોજન લેવું યોગ્ય માનવામાં આવે છે. આયુર્વેદમાં સ્વાદના આધારે ભોજનના છ પ્રકાર પાડવામાં આવ્યા છે. ખાટો, તીખો, તૂરો, મીઠો, કડવો, ખારો. જેથી મહત્વનું છે તમામ પ્રકારના રસનું તમારા ભોજનમાં મિશ્રણ કરેલું હોય. વધુ પ્રમાણમાં ખાંડ અને મીઠું એટલે કે ખારાશ તેમજ મીઠાશ તમારા શરીરમાં રોગ પૈદા કરી શકે છે.
4.ગરમ અને હૂંફાળું પાણી:
આયુર્વેદમાં જણાવ્યા અનુસાર હંમેશા ગરમ અને હૂંફાળું પાણી પીવું ખૂબ જ અસરકારક છે. ગરમ પાણીને આયુર્વેદમાં અક્સીર ઈલાજ ગણવામાં આવ્યો છે. જે શરીરમાં રહેલા દરેક હાનિકારક તત્વોનો નાશ કરે છે. હાનિકારક તત્વો ખરાબ ભોજન કે જંકફૂડ અને પ્રદૂષણના લીધે શરીરમાં ભળી જાય છે.
5. તમારા ખોરાકમાં ઔષધિનું પ્રમાણ:
તમારા ખોરાકમાં હળદર, આદુ, અશ્વગંધા, ગૂગળ, ત્રિફળા અને તજ તેમજ લવિંગ જેવી ઘરમાં જ રહેલી ઔષધિનું પ્રમાણ વધારતા રહો. આવું કરવાથી પણ તમારા વજનમાં ઘણો જ ફરક જોવા મળશે.
6. રાતે હળવો ખોરાક:
દિવસે ભલે ભારે ખોરાક લો તે પચવામાં સરળ રહે છે કારણકે આખો દિવસ દોડધામ કરવી પડે છે જેથી પાચનતંત્ર પણ વ્યવસ્થિત મહેનત કરે છે. રાતે ભોજનમાં હંમેશા હળવો ખોરાક જ લેવો જોઈએ. જેથી પાચનતંત્રને પણ ઓછી મહેનત કરવી પડશે અને ઉંઘ પણ સારી રીતે આવશે. આયુર્વેદમાં સાંજના ભોજનનો સમય સાત પહેલાનો જણાવવામાં આવ્યો છ, જેથી પાચનતંત્ર યોગ્ય રીતે ભોજન પચાવવા માટે સક્ષમ બને.
7. ભોજન કરી ચાલવાની ટેવ:
શારીરિક રીતે સક્રિય રહેવું એ દરેક મનુષ્ય માટે મહત્વનું છે. જો તમે જિમમાં ન જઈ શકો તો રોજ થોડું-થોડું ચાલવાનું રાખો. તમારા રોજિંદા જીવનમાં 10-20 મિનિટ સુધી ચાલવાનું રાખો. જે તમારા મેટાબોલિઝમને વધારવામાં મદદ કરશે અને ભૂખ પણ વધારશે તેમજ તમને હળવાશ લાગશે.